ગાંધીધામના ભારતનગરમાં સમી સાંજે યુવકને છરી ઝીંકી નિર્મમ હત્યાથી ચકચાર



ગાંધીધામઃ ગાંધીધામના ભારતનગરમાં 45 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ બન્યો છે . શહેરના ધમધમતા વિસ્તારમાં સમી સાંજે હત્યા જેવો સંગીન ગુનો બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે . પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મરનાર સુરેશ કશ્યપ મૂળ રાજસ્થાનનો વતની હતો અને ભારતનગરમાં એકાકી જીવન જીવતો હતો . સુરેશ ઘરે જ ગેરેજનું કામકામ કરી પેટિયું રળતો હતો .

આજે સાંજે નજીકમાં રહેતાં ભરત ફફલ નામના યુવકે તેની સાથે ઝઘડો કરી છરી વડે ગળું વેતરી નાખી તેનું મર્ડર કરી નાખ્યું હતું . ભારતની બહેન પર સુરેશે કુદ્રષ્ટિ કરી હોવાના કારણે બેઉ વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે . પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લઈ સઘન તપાસ હાથ ધરી છે . ઘટનાના પગલે એ ડિવિઝનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સાગઠિયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને પંચનામું ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી છે .







Comments