કોરોના ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

  • રાજ્ય અનલોક થતાં જ છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં દરરોજ 400 કરતા વધુ કેસ નોંધાયા
  • અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9 કેસ
  • ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ
  • બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3 કેસ
  • અમદાવાદ. ગુજરાતમાં અનલોક જાહેર કરવામાં આવ્યા બાદ સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યારસુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. જ્યારે 33 લોકોના મોત થયા છે તો 455 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ થયા છે, મૃત્યુઆંક 1155 અને કુલ 12,667 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

    24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
    રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3, ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.
  • કુલ 18,117દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

    શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
    અમદાવાદ13,0639108,932
    સુરત1794741191
    વડોદરા114042668
    ગાંધીનગર33914171
    ભાવનગર1309103
    બનાસકાંઠા125595
    આણંદ1021087
    અરવલ્લી1137106
    રાજકોટ117372
    મહેસાણા129676
    પંચમહાલ941072
    બોટાદ59154
    મહીસાગર116241
    પાટણ86664
    ખેડા76458
    સાબરકાંઠા107377
    જામનગર54342
    ભરૂચ47334
    કચ્છ82355
    દાહોદ41032
    ગીર-સોમનાથ45042
    છોટાઉદેપુર33023
    વલસાડ41116
    નર્મદા19015
    દેવભૂમિ દ્વારકા13011
    જૂનાગઢ31125
    નવસારી28113
    પોરબંદર1226
    સુરેન્દ્રનગર42119
    મોરબી403
    તાપી605
    ડાંગ202
    અમરેલી1012
    અન્ય રાજ્ય1700
    કુલ18,117112212,212

Comments